Translate

Search This Blog

Saturday, October 25, 2014

માનસ મીરાં ભાગ - ૨, મોરારિ બાપુ

રામ કથા

માનસ મીરાં ભાગ - ૨

મેડ઼તા સિટી  

રાજસ્થાન

શનિવાર, તારીખ ૨૫-૧૦-૨૦૧૪ થી રવિવાર તારીખ ૦૨-૧૧-૨૦૧૪

મુખ્ય ચોપાઈ

એહિં કલિકાલ ન સાધન દુજા     ।

જોગ જગ્ય જપ તપ બ્રત પૂજા     ॥

રામહિ સુમિરિઅ ગાઇઅ રામહિ    ।

 સંતત સુનિઅ રામ ગુન ગ્રામહિ    ॥


................................................................................................ઉત્તરકાંડ ૧૨૯/૫/૬

एहिं कलिकाल न साधन दूजा । 

जोग जग्य जप तप ब्रत पूजा ॥

रामहि सुमिरिअ गाइअ रामहि । 

संतत सुनिअ राम गुन ग्रामहि ॥

આ કળિયુગના સમયમાં યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત, પૂજા વગેરે કોઈ બીજું સાધન જ નથી. બસ શ્રી રામનું જ સ્મરણ કરવું, શ્રી રામના ગુણગાન કરવા, નિરંતર શ્રી રામના ગુણોનું શ્રવણ કરવું.

_________________________________________________________________________________

ભગવદ્ગોમંડલ જે અદ્વિતીય જ્ઞાનકોશ છે તેમાં મીરાંબાઈ વિશે નિચે મુજબની માહિતી છે.

મીરાંબાઈ - એ નામે ગુજરાતી ભાષામાં એક ભક્ત કવયિત્રી.
ડૉ કૃષ્ણલાલ અનુસાર મીરાંનું જીવન ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. પ્રથમ ભાગમાં તેના જન્મ, બાલ્યકાળ, શિક્ષણ અને લગ્નનો સમાવેશ થાય છે. બીજા ભાગમાં તેનું ભક્તસ્વરૂપ પ્રકટ થાય છે ત્યારે તે બીજા ઈશ્વરપરાયણ ભક્તોની માફક, સમાજ અને વાતાવરણના સંસર્ગમાં આવીને, પોતાના ધર્મહઠ, ભક્તિભાવના અને તેજસ્વિતાનો પરિચય આપતી આગળ વધે છે. ત્રીજા ભાગમાં, મીરાં માધુર્યભાવની ભક્તિભાવનાના અંતિમ વિકાસ પર પહોંચીને વ્રજગોપીના અવતારી રૂપમાં સામેલ થાય છે અને પોતાની પવિત્ર સ્વરલહરીથી સંસારના શોક અને તાપને દૂર કરતી કરતી અનંતમાં વિલીન થઈ જાય છે. મીરાંનો જન્મ સંવત ૧૫૫૫ની આસપાસ મેડતા રાજ્યના કુડકી ગામમાં સુપ્રસિદ્ધ રાઠોડ રાજા રાવ જોધાજીના પુત્ર રાવ દૂદાજીના ચોથા પુત્ર રત્નસિંહને ત્યાં થયો હતો. તે પોતાના પિતાનું એક જ સંતાન હતી. પિતા એક વીર સૈનિક હતા. તેથી મીરાં પોતાના દાદા રાવદૂદાની સાથે મેડતામાં રહેતી હતી. દૂદાજી શ્રીકૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા. બચપણમાં તે તથા તેનો કાકાનો દીકરો જયમલ રાધાકૃષ્ણના વિવાહનાં ખેલ ખેલતાં હતાં. મીરાંને ચાર વર્ષની મૂકીને તેની માતા સ્વર્ગવાસી થઈ હતી સંવત ૧૫૭૩માં વીરમદેવે મેવાડના પરાક્રમી રાણા સાંગાના મોટા પુત્ર ભોજરાજ સાથે મીરાંનાં લગ્ન કર્યાં. પરંતુ લગ્ન પછી એક જ વર્ષમાં તેના પતિનો સ્વર્ગવાસ થયો. ત્યાર બાદ કનવાહના રણક્ષેત્રમાં બાબર સાથે યુ્દ્ધ કરતાં કરતાં તેના પિતા પણ મૃત્યુ પામ્યા અને થોડા સમય પછી તેના સસરા રાણા સાંગા પણ મૃત્યુ પામ્યા. આમ થોડા જ સમયમાં મીરાં આશ્રય વગરની બની ગઈ. આમ સંસારી પ્રેમની પૂર્ણાહુતિ થયા બાદ મીરાંએ પારલૌકિક પ્રેમ તરફ ધ્યાન આપ્યું અને ભગવાન શ્રીકૃષ્ણની તે ભક્ત બની. લગ્ન વખતે મીરાં ગિરિધરલાલની મૂર્તિ પણ લઈ ગઈ હતી અને પોતાના પતિની સમક્ષ પણ તેનું વિધિપૂર્વક પૂજન અને અર્ચન કર્યા કરતી નિરાધાર બન્યા પછી તેનું ચિત્ત ભગવદ્દભક્તિ અને સાધુસંગતિમાં નિશદિન લાગી રહેતું હતું. સાધુસંતોનો તે ખૂબ સત્કાર કરતી. પ્રેમાવેશમાં આવીને ભગવાનનાં મંદિરોમાં જઈને પગમાં ઘૂઘરા બાંધીને નાચવા માંડતી. ધીમે ધીમે તેની ખ્યાતિ ફેલાવા લાગી મેવાડના પ્રતિષ્ઠિત રાજવંશને આ ગમ્યું નહિ અને મીરાંના દેર મહારાણા રત્નસિંહે અને બીજા રાજપરિવારે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મીરાં પર તેની અસર થઈ નહિ. રત્નસિંહના મૃત્યુ પછી વિક્રમાદિત્યે મીરાંની નણંદ ઉદાબાઈને મોકલીને મીરાંને સમજાવી. પરંતુ ન માનતાં રાણાએ ઝેરનો પ્યાલો મોકલ્યો. મીરાં તેને ચરણામૃત સમજી પી ગયાં. ત્યારબાદ મીરાંને મારી નાખવા માટે રાણાએ સર્પ અને કાંટાની સેજ મોકલી પરંતુ મીરાંનો વાળ પણ વાંકો થયો નહિ અને પોતાનો માર્ગ પણ છોડ્યો નહિ. સંવત ૧૬૦૦ આસપાસ મીરાં વૃંદાવન છોડીને દ્વારકા ચાલી ગઈ ત્યાં તે રણછોડજીની ભક્તિમાં તલ્લીન બની. ત્યાં તે મૂર્તિ સમક્ષ નાચતી અને ગાતી. મીરાંની ભક્તિભાવના અને કીર્તિ એક ધર્મકથાના રૂપમાં બધી બાજુએ ફેલાઈ ગઈ. કહેવાય છે કે, મીરાંબાઈના દ્વારકા ગયાના સમાચાર મેળવીને મેવાડ અને મેવાડના સત્તાધીશોએ તેને બોલાવવા માટે બ્રાહ્મણ મોકલ્યો. આથી વિવશ બનીને મીરાં શ્રીરણછોડજીની આજ્ઞા મેળવીને મંદિરમાં ગઈ અને ત્યાં પદ ગાતાં ગાતાં ભગવાનની મૂર્તિમાં સમાઈ ગઈ. આમ સંવત ૧૬૩૦ની આસપાસ એક દિવસે મીરાંના લૌકિક અસ્તિત્વનો લોપ થયો. પરંતુ નશ્વર શરીરનો અંત થાય તે પહેલાં તે અમર થઈ ચૂકી હતી. તેના પદોમાં રૂપકના દાખલાઓ વધારે જોવામાં આવે છે. મીરાંના કાવ્યોમાં પ્રકૃતિવર્ણનનો અભાવ હોય છે. મીરાંની ભાષામાં રાજસ્થાની અને વ્રજભાષાનું અટપટું મિશ્રણ છે. તેનાં પદમાં મસ્તી નથી પણ તેમાં સ્ત્રી હૃદયની મધુરતા છે, મનોભાવમાં કોમળતા છે અને ભાષામાં સ્વભાવસિદ્ધ સરળતા છે. મીરાંબાઈનાં કેટલાક પદો ગુજરાતમાં ચલણી સિક્કાથી પણ વધારે પરિચિત અને પ્રિય છે. બધી સ્ત્રી કવિઓમાં મીરાં સર્વાનુમતે પ્રથમ પંક્તિની ગણાય છે. મીરાંબાઈની કવિતામાં જે મધુરતા અને આકર્ષક શકિત રહેલી છે તેવી બીજી કોઈ સ્ત્રી કવિમાં નથી. તેનું જીવન અદ્દભૂત કૌતુકવાળું બન્યું હતું અને તેની શૈલીમાં જે ગૌરવ તથા સુદૃઢતા છે તેની બરોબરી અન્ય સ્ત્રી કવિઓથી થાય તેમ નથી.

_________________________________________________________________________________

માનસ મીરા કથા શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ સૂત્રો અત્રે પ્રસ્તુત છે.


શનિવાર, તારીખ ૨૫-૧૦-૨૦૧૪

મીરા સંત છે અને સંત અનંત હોય છે.

મીરા વિશે પુરૂં વ્યાખ્યાન આપવું અઘરૂં છે.

મેડ઼તા પ્રેમ તીર્થ છે.

તુલસી અને મીરા સમકાલીન છે, જો કે કેટલાક ઈતિહાસકારોનો મત અલગ છે.

ખાખી વરદીધારી ત્રણ વ્યક્તિઓ  છે, પોસ્ટમેન, પોલિસ અને સંન્યાસી. સંન્યાસીનો ભગવો રંગ ખાખી રંગને મળતો રંગ છે.

પોસ્ટમેન સંદેશ આપે, પોલિસ આદેશ આપે અને સંન્યાસી ઉપદેશ આપે.

સંદેશ આપવો સહેલો છે, આદેશ આપવા માટે લાયક પદ જોઇએ.

પ્રેમ એ એક નિરંતર ચાલતી લહેર છે.

મીરા એ એક નિરંતર ચાલતી લહેર છે.

મીરા મુક્ત નથી પણ નિત્ય મુક્ત છે.

બીજા દ્વારા થતી નીંદા સહન કરવી એ એક તપ છે.

કલિયુગમાં ત્રણ જ વસ્તુ થઈ શકે તેમ છે.


પરમનું સ્મરણ, રામનું સ્મરણ, રામની સ્મૃતિ. પરમનું સ્મરણ એ સત્ય છે.


પરમનું ગાયન, રામનું ગાયન, પરમનું ગાયન એ પ્રેમ છે. પ્રેમી ગાયા વિના રહી જ ન શકે.


લોક કલ્યાણની વાત  સાંભળવી, બુદ્ધ પુરુષની વાત સાંભળવી, કથા શ્રવણ કરવી. કથા શ્રવણ એ કરૂણા છે.


મીરામાં પાંચ પ્રકારના પાગલપણ છે, મીરા પાંચ પ્રકારની દીવાની છે.

મીરા રૂપ દીવાની છે, મીરા નામ દીવાની છે, મીરા દર્દ દીવાની છે, મીરા પ્રેમ દીવાની છે તેમજ મીરા સંત દીવાની છે.

કોઈ પણ સમસ્યા પેદા થાય તે પહેલાં તે સમસ્યાનું સમાધાન તૈયાર થયેલું જ હોય છે.


રવિવાર, તારીખ ૨૬-૧૦-૨૦૧૪

મીરાના જીવનમાં પણ તેના આદિ, મધ્ય અને જીવનના છેલ્લા પડાવ દરમ્યાન એક જ તત્વ પ્રર્તિપાદિત થાય છે.

મીરાના જીવનમાં શાલિગ્રામના રુપે આદિ તત્વ પ્રતિપાદિત થાય છે, શાલિગ્રામ આદિ છે.

મીરાના જીવનમાં તેના લગ્ન સમયે તે શાલિગ્રામ સાથે ફેરા ફરે છે જે તેનો મધ્ય છે. આમ મધ્ય પણ શાલિગ્રામ છે.

મીરા તેના અંત સમયે દ્વારકાધીશમાં સમાઈ જાય છે અને દ્વારકાધીશ પણ શાલિગ્રામ જ છે. આમ મીરાની જીવન યાત્રા દરમ્યાન આદિ, મધ્ય અને અંતમાં શાલિગ્રામ છે.

સંત પાસે કોઈ હિંસક આવે તો તે હિંસક પણ અહિંસક બની જાય છે.

વિષમ પરિસ્થિતિ જ વિષ છે.

મીરા ઉપર કોઈનો પ્રભાવ નથી.

સંત કોઈનાથી પ્રભાવિત ન થાય.

નદીનો પ્રવાહ, નદીના પ્રવાહની ગતી સ્વાભાવિક જ હોય. કેનાલના પ્રવાહને, કેનાલના પ્રવાહનિ ગતીને નિયંત્રીત કરી શકાય.

પરમ સંતની તેની પોતાની આગવી રીત હોય છે, આગવી અદા હોય છે.

પ્રભાવને છોડો. પોતાના સ્વભાવમાં રહો, પોતાના સ્વભાવમાં જીવો.

મીરા બધા જ સંપ્રદાયથી મુક્ત એક લહેર છે, ગતી છે.

શ્રી કૄષ્ણ સાથેનો નિરંતર વિયોગ એ જ મીરાનો યોગ છે.

કૃષ્ણ પ્યાસની વિરહાગ્નિમાં મીરા પોતાના આંસુની આહૂતિ આપે છે. આ મીરાનો યજ્ઞ છે. મીરાના આંસુની આહૂતિ જે પાણી છે તેનાથી તેનો વિરહાગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે.

કૃષ્ણની અખંડ સ્મૄતિ એ મીરાનો જપ છે.

સમાજના તમામ વર્ગોની નીંદા સહન કરવી એ મીરાનું તપ છે.

પરનીંદા સાંભળવાનો કચરો દૂર કરી સ્વચ્છતા અભિયાન શરૂ કરવું જોઈએ
.
જે રાત્રે નીંદ્રાથી મુક્ત હોય અને દિવસે નીંદાથી મુક્ત હોય તે બુદ્ધ પુરૂષ છે અને આવા બુદ્ધ પુરૂષના ચરણ પકડવામાં મોડું ન કરવું.

મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ એ મીરાનું અખંડ વ્રત છે. અનન્ય શરણાગતિ એ જ મીરાનું વ્રત છે.
પ્રભુને પ્રેમ કરવો એ મીરાનું પૂજન છે.

રામને પ્રેમ કરવો એ રામની શ્રેષ્ઠ પૂજા છે.

રામહિ કેવલ પ્રેમ પિઆરા

પ્રેમ કામને પણ પવિત્ર કરી દે છે.

પ્રેમ કામને રામમાં પરિવર્તિત કરી દે છે.

પ્રેમ લોભને થોભમાં પરિવર્તિત કરી દે છે.

પ્રેમ ક્રોધને બોધમાં પરિવર્તિત કરી દે છે.



સોમવાર, તારીખ ૨૭-૧૦-૨૦૧૪

પરિક્રમા એટલે પરિક્રમાના કેન્દ્રમાં જે છે તેનું ચારે તરફથી અવલોકન કરવું.

પરમાત્માને ચાખો, પરમાત્માને પરખવાની જરૂર નથી. (परमात्माको चखो, परखो मत)

સ્વાદને છોડવાની જરુર નથિ પણ વાદને છોડવાની જરૂર છે.

મદ્ય (મદ્યપાન) છૂટે તો જરુર છોડો પણ મદ ને જરૂર છોડો.

સત્યને વિચારવામાં સત્ય છૂટી ન જવું જોઈએ.

પ્રેમને વિચારવામાં પ્રેમ છૂટી ન જવો જોઈએ.

કરૂણાને વિચારવામાં કરૂણા છૂટી ન જવી જોઈએ.

મીરાને વિચારવામાં મીરા છૂટી ન જવી જોઈએ.

શ્રદ્ધા ગુણ આધારીત હોય છે.

૬ ઐશ્વર્ય {(૧) યશ (૨) કીર્તી (૩) શક્તિ (૪) જ્ઞાન (૫) વૈરાગ્ય અને (૬) ઐશ્વર્ય}  જેનામાં હોય તેનામાં શ્રદ્ધા હોય.

શ્રદ્ધા માટે ગુણ જરૂરી છે.

પાર્વતી પ્રેમી છે અને પ્રેમ ગુણ ન જુએ. તેથી પાર્વતી શંકરના અગુણ નથી જોતી.
પ્રેમ લક્ષણ મુક્ત હોય.

શ્રદ્ધા અલૌકિક વસ્તુ છે.

જેવી રીતે ફૂલ ખીલે છે તે બધા માટે હોય છે પણ તે ફૂલ ફક્ત એક ને જ ચઢાવાય તેવી રીતે પ્રેમ એક ને જ ન થાય પણ બધાને થાય પણ પ્રેમ ફક્ત એક ને જ ચઢાવાય.

કપટ રહીત પ્રેમ ન થાય.

૧ પ્રેમમાં ગુણ જોવો એ કપટ છે. પ્રેમમાં ગુણ ન જોવો જોઈએ. ગુણ જોઈને શ્રદ્ધા કરો.

પ્રભાવ જોઈ પ્રેમ ન કરો પણ સ્વભાવ જોઇ પ્રેમ કરો.

ઈચ્છા છોડવાનિ જરૂર નથી પણ ઈર્ષા છોડવાની જરૂર છે.

૨ પ્રેમમાં કામના, ભોગ એ કપટ છે.

૩ વારંવાર તુટે એ પ્રેમનું કપટ છે. પ્રેમ તેલ ધારા વત ન રહે એ પ્રેમનું કપટ છે. વાત વાતમાં તૂટી જાય એ પ્રેમનું કપટ છે.

એટમ બોમ્બથી પણ વધારે શક્તિશાળી આત્મ બોમ્બ છે એવું વિનોબાજીનું કથન છે.

પ્રેમ બહું નાજુક હોય છે.

મીરાનો પ્રેમ ગુણ રહીત છે.

પરમ પ્રેમ

પરમ વૈરાગ્ય

પરમ વિશ્રામ

જપથી સિદ્ધિ મળે, સ્મરણથી શુદ્ધી મળે.

શરણાગતીમાં શરત ન હોય.

બુદ્ધ પુરૂષનાં ૫ લક્ષણ હોય છે.


બુદ્ધ પુરૂષમાં ઔદાર્ય - ઉદારતા હોય.
બુદ્ધ પુરૂષમાં મનની, ચિત્તની, વિચારની, દ્રષ્ટિ વગેરેની ઉદારતા - ઐશ્વર્ય હોય.
ઔદાર્યના બે પ્રકાર છે, આક્રમક ઔદાર્ય અને માસુમ ઔદાર્ય.


બુદ્ધ પુરૂષમામ માધુર્ય - મધુરતા હોય.


સૌંદર્ય - બુદ્ધ પુરૂષમાં તેનું પોતાનું એક સૌંદર્ય હોય.


બુદ્ધ પુરૂષમાં ગાંભીર્ય હોય, ગંભીરતા હોય.


બુદ્ધ પુરૂષમાં ધૈર્ય હોય.



મંગળવાર, તારીખ ૨૮-૧૦-૨૦૧૪

મીરા રામચરિત માનસની ૭ સ્ત્રી પાત્રોનો અર્ક છે.

ધર્મ અભયનો પર્યાય છે.

ધર્મ નિરભયતાનો વરદાતા છે.

ધર્મ કદીય મર્યાદા ભંગ ન થવા દે. ધર્મ કદી શાલીનતા ભંગ ન થવા દે.

"કબીરા કૂવા એક હૈ, પનિહારી અનેક;

બરતન સબ ન્યારે ભયે, પાની સબમેં એક.”

મીરા અસંગ છે, તેની સાથે કોઈ પણ પ્રકારે વાત થઈ શકે, કોઈ પણ ભાષામાં વાત થઈ શકે.
સાધુ અસંગ હોય.

શાસ્ત્રને સમજવા માટે કોઈ બુદ્ધ પિરુષનો સંગ કરવો પડે.

નારીની ૭ વિભૂતિ છે.


કીર્તિ - પ્રતિષ્ઠા
નારીથી ઘરની પર્તિશ્ઠા વધે.


શ્રી - લક્ષ્મી


વાક્‌ - વાણી
વાણીનો વિનય એ વિભૂતિ છે. જો કે તેમાં અપવાદ હોઈ શકે.


સ્મૃતિ - યાદદાસ્ત


મેઘા - પ્રજ્ઞા, વિવેક, સમજણ


ધૃતિ - ધૈર્ય


ક્ષમા

મીરામાં આ ૭ વિભૂતિઓ છે.

ઈશ્વર એટલો દુર્લભ નથી જેટલો સતસંગ દુર્લભ છે. સતસંગ ઈશ્વર કરતામ પણ વધારે દુર્લભ છે.

ભગવાન પાસે માગણી કરવી જ હોય તે તે - ભગવાન જેને પ્રેમ કરે છે તેવા સંતના મિલનની માગણી કરવી.

સાધુને સન્માન ન આપો તો વાંધો નથી પણ તેની વગર વિચાર્યે, વગર સમજ્યે નિંદા ન કરો. સાધુ નિંદા એ મોટો અપરાધ છે.

માનસનાં ૭ સ્ત્રી પાત્ર  છે જે ૭ વિભૂતિ છે અને આ સાત સ્ત્રી પાત્ર મીરામાં સમાવિષ્ટ છે.


કીર્ત
માનસાની કીર્તિ પાત્ર શૄતકીર્તિ છે.
માનસની શૄતકીર્તિનું દર્શન મીરામાં થાય છે.

માનસનો શ્રેષ્ઠ સેવક મોરારિ બાપુ છે એવો જવાબ મોરારિ બાપુએ પત્રકારના પ્રશ્નના જવાબમાં આપ્યો હતો.

ગુરૂ નિદાન કરે, ઔષધિ આપે તેમજ આશ્રિત સંપૂર્ણ નોરોગી ન થાય ત્યામ સુધી આશ્રિતની નજીક રહે અને દેખરેખ રાખે.


શ્રી
માનસની શ્રી જાનકી છે.

મીરામાં જાનકી દેખાય છે, પૄથ્વી તત્વ દેખાય છે.


વાક્‌ - વાણી

વાણીના ચાર પ્રકર છે - ૧ મૌન વાણી, ૨ સત્ય વાણી - સત્ય જ બોલવું, ૩ પ્રિય સત્ય બોલવું ૪ લોક કલ્યાણ માટે અસત્ય બોલવું.

ઊર્મિલા મૌન છે જે મીરામાં દેખાય છે. ઊર્મિલા વાક્‌  છે.

મૌન બોલે ત્યારે પથ્થર પણ ગીત ગાવા લાગે, ગદ્ય પદ્ય બની જાય.


સ્મૃતિ - સુમિરણ, નિરંતર યાદ, અખંડ સુમિરન

માનસની શબરીનું અખંડ ભજન મીરામાં દેખાય છે.

શબરીને તેના ગુરૂના વચનમાં અખંડ સ્મૃતિ છે.


મેઘા

માનસની માંડવીમાં મેઘા છે. માંડવી પ્રજ્ઞાવાન મહિલા છે.

ભરત હંસ છે, માંડવી હંસીની છે.


ધૃતિ - ધૈર્ય

માનસની ગૌરીમાં ધૈર્ય છે. મીરામાં ધૈર્ય છે. અનંત પ્રતિક્ષાનું નામ ભક્તિ છે. મીરામાં અનંત પર્તિક્ષા છે.


ક્ષમા

માનસની અહલ્યામાં ક્ષમા છે.

માનસમાં શ્રેષ્ઠ મહિમાવંત સ્ત્રી પાત્ર અહલ્યા છે એવો જવાબ મોરારિ બાપુએ આપ્યો છે.

અહલ્યા મુનિના શ્રાપથી રામનો અનુગ્રહ પામે છે.

મીરા અદ્‌ભૂત છે, અનુભૂત છે તેમજ પરમ અવધૂત છે.


બુધવાર, તારીખ ૨૯-૧૦-૨૦૧૪

મીરા પંડિતો દ્વારા પાછી ન આવે પણ બુદ્ધ પુરૂષ દ્વારા પાછી આવે.

મીરા અહીં નથી એવું વિચારવાની જરુર જ નથી, મીરા તો અહીં આસપાસમામ જ છે.

મીરા મરૂ સ્થળની- મારવાડની મંદાકિની છે.

અનુભવ કહી શકાય, અનુભૂતિ કહી ન શકાય.

નિજ અનુભવ કહહું ખગેશા

શંકર અને કાકભૂષંડી પોતપોતાનો અનુભવ કહે છે.

ઊમા કહહું મેં અનુભવ અપના
સત હરિભજન વિના જગત સબ સપના

મીરા જગતને ખારૂં કહે છે, મીરા જગતને સપનું નથી કહેતી.

મારા સપનામાં આવ્યા શ્રી હરિ ............રમેશ પારેખ

મૃત્યુના ભયને ભગાવે અને સ્મરણના ભાવને જગાડે એ ગુરૂ છે. જો ગુરૂ આવું ન કરે તો તે ગુરૂ ગુરૂ નથી.

દેશમાં સફાઈ થાય તેમજ દિલમાંથી દ્વેષ સાફ થાય.

મીરા એ એક સરોવર છે અને તે સરોવરમાં ઊતરવા માટે ૫ પગથીયાની સિડી છે. આ ૫ પગથીયાં છોડવાથી આ સરોવરમાં જઈ શકાય.

૧ પ્રથમ પગથીયું દલ છે.

આ સરોવરમાં ઊતરવા માટે સાંપ્રદાયીકતાના દલનું પગથીયું છોડવું પડે.

દલ છોડી નિર્દલીય બનવું પડે. જો કે નિર્દલ એ પણ એક દલ જ છે.

મીરાને સમજવા માટે દલની સિડી છોદવી પડે.

સંપ્રદાય જંજીર ન બનવો જોઈએ પણ નૂપુર બનવો જોઈએ.

૨ મીરાને સમજવા માટે પોતાનું બલ છોડવું પડે. આ બીજી સિડી છે.

આ સરોવરમાં ઊતરવા માટે, મીરાને સમજવા માટે પોતાનું બલ કામ ન લાગે, કોઈ બુદ્ધ પુરૂષની કૃપાનું બલ કામ લાગે, બુદ્ધ પુરૂષનો સહારો જોઈએ.

૩ મીરાને સમજવા માટે, આ સરોવરમાં ઊતરવા માટે ખલનો સંગ છોડવાની ત્રીજી સિડી છોડવી પડે. અહીં ખલનો તિરસ્કાર કરવાની વાત નથી પણ ખલનો સંગ છોદવાની વાત છે.

૪ મીરાને સમજવા માટે, આ સરોવરમાં ઊતરવા માટે શિકાયતની ચોથી સિડી છોડવી પડે. શિકાયતી ચિત આધ્યાત્મની યાત્રા પુરી ન થવા દે.

પરનિંદા છોડો તેમજ નીજનિંદા પણ છોડો.

૫ મીરાને સમજવા માટે, આ સરોવરમામ ઊતરવા માટે લોક લાજની પાંચમી સિડી છોડવી પડે. ભજન અને ભોજનમાં મર્યાદા હોવી જોઈએ.


સંશય અને સંદેહમાં શું ફેર છે?

સંશય કેન્દ્ર બદલે પણ સંદેહ કેન્દ્ર ન બદલે.

સંશય એ દશાનનાં મસ્તક છે જ્યારે સંદેહ એ દશાનનની નાભી છે.

સંશય એ રક્ત બીજ રાક્ષસ છે જે વારંવાર પેદા થયા જ કરે.

સંદેહ એ અંતરંગ બિમારી છે, રાજરોગ છે જે મોટાને થાય, નાનાને ન થાય.

સતીને, ગરૂડને સંદેહ થાય છે.

6
ગુરુવાર, તારીખ ૩૦-૧૦-૨૦૧૪

મુક્ત જીવ ફરીથી જન્મ ન લે પણ નિત્ય મુક્ત જીવ ફરીથી જન્મ લઈ શકે.

મીરા નિત્ય મુક્ત લહેર છે. તેથી તે વારંવાર પૃથ્વી પર આવી શકે છે. આવા નિત્ય મુક્ત જીવને, મીરા જેવાને પૃથ્વી ઉપર આવતાં ઈશ્વર પણ રોકી ન શકે.

જે નિત્ય મુક્ત જીવ છે તે પૃથ્વી પર પુરેપુરા રૂપે આવે અથવા આંશિક રૂપે પણ આવે.

બ્રહ્મ નિત્ય મુક્ત છે જે ક્યારેક આંશિક રૂપે આવે, ક્યારેક પૂર્ણ રૂપે પણ આવે.

મીરાનો ધર્મ પ્રેમ છે.

પ્રેમમાં બધા જ ધર્મ સમાવિશ્ઠ છે.

પ્રેમ સમગ્ર શુભોનો સંગ્રહ છે.

પ્રેમ વિષને પણ અમૃત બનાવી શકે છે.

પૂર્વાનુરાગ, મિલન અને વિરહ એ પ્રેમના ૩ ભાગ છે.

મીરાનો અર્થ રામ છે.

તેથી તો મીરા ગય છે કે, "પાયોજી મેંને રામ રતન ધન પાયોજી".

મીરાનો એક માત્ર કામ ઠાકોરજીનો હાથ પોતાના શિર ઉપર હોય એ છે, તેનો કામ કૃષ્ણ દર્શન લાલસા છે.

રામચરિત માનસનો એક માત્ર શબ્દ રામ છે એવો જવાબ મોરારિ બાપુએ પત્રકારના પ્રશ્નના જવાબમાં આપ્યો હતો.



શુક્રવાર, તારીખ ૩૧-૧૦-૨૦૧૪

આ સંસારમાં બધાના હાથ તીર્થ છે, પછી ભલે તે હાથ સાધુના હોય કે શેતાનના હોય.
શ્રુતિએ હાથને ભગવાન કહ્યા છે.

રાવણના હાથ તેમજ રામના હાથ તીર્થ છે.

અપના હાથ જગ્ગનનાથ.

મીરા અને રામ એક જ છે.

મીરામાં રામ લબાલબ સમાવિષ્ઠ છે.

માનસના રામ અને માનસનિ મીરા તેમના કૂળની ખોટી પરંપરાને તોડે છે.

મીરાનું વર્તન ન જુઓ પણ મીરાનું નર્તન જુઓ.

માનસમાં માયા નર્તન કરે છે પણ શબરી શાંત બેસે છે, નર્તન નથી કરતી.

કૃષ્ણ નર્તન કરે છે પણ બુદ્ધ, મહાવીર શાંત છે.

મીરા નર્તન કરે છે.

ભક્તિ કાયર ન કરી શકે, વીર જ કરી શકે.

મારગ છે શૂરા પુરાનો, પછી થાય કસોટી પુરાની

નૃત્ય શબ્દ ૫ વાર આવે છે.

૧ સાત્વિક નૃત્ય
સાત્વિક નૃત્યમાં ઘુંઘરૂની કે મેકઅપની જરુર નથી.

૨ રજોગુણી નૃત્ય
રાવણનું નૃત્ય રજોગુણી નૃત્ય છે.

૩ અભેદ નૃત્ય
રામ રાજ્યનો પર્યાય પ્રેમ રાજ્ય છે. પ્રેમ રાજ્યમાં ભેદ ન હોય.

૪ નિખાલસ નૃત્ય
બાળકનું નૃત્ય નિખાલસ નૃત્ય છે. પક્ષીનું નૃત્ય નિખાલસ નૃત્ય છે.

૫ અસંગ નૃત્ય


શનિવાર, તારીખ ૦૧-૧૧-૨૦૧૪

ઘણા સાધક મન, બુદ્ધિ, ચિત્ત થી મુક્ત થઈ શકે છે પણ અહંકારથી મુક્ત થવું અઘરું છે.

અહંકાર અતિ દુઃખદ દમરૂઆ

પરમાત્મા સુધી પહોંચવું એટલે પોતાના સુધી પહોંચવું.

નીચે પ્રમાણેના ૩ વ્રત કરવા જે કઠીન છે તેમજ સરલ પણ છે.

૧ સત્યનો નિર્વાહ કરવાનું વ્રત સરલ છે તેમજ કઠીન પણ છે.

૨ શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું, અહીં મૌન રહેવું એટલે સમ્યક બોલવું.

૩ ધીરજ રાખવી જેને ધૈર્ય વ્રત કહેવાય છે.

જે વ્યક્તિ આ ત્રણ વ્રત કરશે તે પોતે પોતાના મૂળને જાણી શકશે. પોતાના સુધી પહોંચી શકશે, અહં બ્રહ્માસ્મિ ને સમજી શકશે, પરમાત્મા સુધી પહોંચી શકાશે.

કૃષ્ણએ વાંસળી રાધાને આપી છે, ગીતા અર્જુનને આપી છે, પાદુકા ઉદ્ધવને આપી છે, આંસુ નંદ યશોદાને આપ્યાં છે, મૈત્રી શ્રીદામાને (સુદામા નહીં) આપી છે અને કંઠ મીરાને આપ્યો છે.

મીરા જે ગાય છે તે કૃષ્ણનો અવાજ જ છે.

યમુનાજી કર્મ છે, ગંગા ભક્તિ છે અને સરસ્વતી જ્ઞાન છે.

પરમાર્થ કર્મ સારા છે પણ આવામ પરમાર્થ કર્મ નિર્મલ ન પણ હોય.આવાં કરમાં ક્યાંક સ્વાર્થ છુપાયેલો હોય.

સહજ કર્મ નિર્મલ કર્મ છે. આવા સહજ કર્મમાં દોષ હોય તો પણ તે નિર્મલ કર્મ જ છે.

દંભ રહીત કર્મ એ સહજ કર્મ છે.

પ્રેમ ધર્મ એ દૂધ છે.

મોરનું નૃત્ય

હંસનો વિવેક

સારસમાં રસ સહિત

કબૂતરમાં વિશ્રામ, શાંતિ

મીરાનું પાંચ ભૌતિક શરીર

મીરાના શરીરનું જલ તત્વ અશ્રુ છે.

મીરાના શરીરનું વાયુ તત્વ મુકતતા છે.

મીરાના શરીરનું અગ્નિ તત્વ ક્ષમા છે. ક્ષમા અગ્નિ છે એવું તુલસીદાસજીનું નિવેદન છે. ક્રોધ પણ અગ્નિ છે.

મીરાના  શરીરનું પ્રુથ્વી તત્વ સહનશીલતા છે.

મીરાના  શરીરનું આકાશ તત્વ નિર્લેપતા અને અસંગતા છે.




રવિવાર, તારીખ ૦૨-૧૧-૨૦૧૪

રાધાનો, મીરાનો, ગોપનો, ભરતનો પ્રેમ પરમ પ્રેમ છે.

ઝેરને જીરવવા જીવણ મારો આવશે .....ભગુભાઈ

રાણાને કહેજો પાછા ઝેર મોકલે

મન, બુદ્ધિ, ચિત અને અહંકાર જ્યારે તેની તિવ્રતમ અવસ્થાએ પહોંચે ત્યારે તેનો નાશ થાય અને આવી પરિસ્થિતિમાં અલૌકિક અવતરણ શરૂ થઈ જાય, આત્મસાત થઈ જાય.

ઉપરથી નીચે વહે તે ધારા અને નીચેથી ઉપર તરફ વહે તે રાધા. .........ઑશો

મીરા ઉપરથી નીચે નથી આવતી તેમજ નીચેથી ઉપર પણ નથી જતી પણ આપણી સંગસંગ રહી પ્રેમનો નિર્વાહ કરે છે.

રાધા ઉપરની પાંપણ છે અને મીરા નીચેની પાપણ છે અને આ બે પાંપણી વચ્ચે જે કાળી કીકી છે તે કૃષ્ણ છે.
મન, બુદ્ધિ, ચિત અને અહંકારને મારવાની જરૂર નથી પણ કોઈ બુદ્ધ પુરુષની છાયામાં દીક્ષિત કરવાની જરૂર છે.

અંતઃકરણનો નાશ ન કરો પણ તેને શૄંગાર કરો.

મીરા વિકલ્પ મુક્ત છે પણ તેનો સંકલ્પ દ્રઢ છે - "મેરો તો ગીરધર ગોપાલ દૂસરો ન કોઈ" એ મીરાનો દ્રઢ સંકલ્પ છે.

મીરા તેની બુદ્ધિને અવ્યભિચારીણી બનાવી તેને ગીરધરમાં સજાવે છે.

મીરા તેના પરમ પ્રેમની ઊંચાઈએ તેના ચિતમાં કોઈ વિક્ષેપ નથી પણ વિક્ષેપ મુક્ત આવરણ અને મલિન યુક્ત આવરણમાં રહી સતત પ્રસન્ન રહે છે. મીરાનું ચિત વિક્ષેપ મુક્ત પ્રસન્નતા યુક્ત છે.

મીરા મહાન હોવા છતાં પોતાને ચાકર રાખવાનું કહે છે જે તેના અહંકારને દીક્ષિત કરે છે.

હું સેવક છું અને હરિ માલિક છે એવું કરવાથી અહંકાર દીક્ષિત થાય.

મીરા ગીરધર સાથે પરણે છે ત્યારે ગીરધર મીરાના જમણા હાથના વાહનમાં બેસી આવે છે અને જ્યારે જમણો હાથ થાકે છે ત્યારે ડાબા હાથના વાહનમાં સવાર થાય છે.ભક્તિ, પ્રેમ બહું નાજુક હોય છે તેથી કૃષ્ણ પોતાના ચતુર્ભૂજ ઉપર સવાર થઈને આવે છે જેથી મીરાના હાથ થાકી ન જાય.

રામચરિત માનસમાં પણ નીચે પ્રમાણેના ચાર ફેરા છે. આ ચાર મંલગ ફેરા પરમ પદને પામવા માતે છે.

૧ રામ ગુણ સાંભળવા

૨ રામ ગુણ ગાવા

૩ રામ ગુણ કહેવા

૪ રામ ગુણ સમજવા









No comments:

Post a Comment