Translate

Search This Blog

Monday, October 21, 2019

સનાતન ધર્મ-વૈદિક ધર્મ એ વટવૃક્ષ છે

સનાતન ધર્મ-વૈદિક ધર્મ એ વટવૃક્ષ છે




  • કોઈ બુદ્ધપુરુષ આપણને આકાશ બતાવી શકે છે, કેમ કે આપણે ઓરડામાં કેદ છીએ


  • આપણા આંતરિક ત્રણ દુશ્મન છે. એનાં નામ છે પ્રમાદ-આળસ; અક્રિયતા-નિરુત્સાહ અને વિવેકહીનતા. 
  • કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ ષડરિપુ આપણે ત્યાં છે અને મારી જે સ્વાભાવિક સમજ છે એ મુજબ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એ બધા ઓછા થઇ જાય તો સારી વાત છે, 


  • આપણે કેવળ રોટીથી નથી જીવતા, સંતોનાં વચનોથી જીવી રહ્યા છીએ અને કોઇ સાધુ સાથે તમારો સંગ થઇ જાય અથવા તો એમના માર્ગદર્શનમાં આપણે જીવીએ છીએ; એની સાથે વાત કરીએ કે એ આપણા ખભા પર હાથ મૂકીને બે શબ્દ કહી દે તો પછી કોઇ ચિંતા ન કરો.



  • માણસ કર્મયોગી હોવો જોઇએ. 

  • આપણે આપણી જાતને અંદરથી એવી કરીએ. કોઇ સાથે દુશ્મની નહીં, પરંતુ આપણે આપણું તેજ વધારીએ કે આપણા અંત:કરણમાં સુમંગલતા ડેરો નાખે અને એ સુમંગલતા પેલી અમંગલતાને હટી જવા માટે મજબૂર કરી દે.


સકલ સુમંગલ દાયક રઘુનાયક ગુન ગાન.
સાદર સુનહિં તે તરહિં ભવ સિંધુ બિના જલજાન.


  • સનાતન ધર્મ, વૈદિક ધર્મ, વૈદિક પરંપરા એ વટવૃક્ષ છે. એની છાયામાં બધા મોજ કરો. નહીંતર આપણે ધર્મના નામે વિભક્ત થઇ જઇશું. તૂટી જઇશું.


Read full article at Divya Bhaskar.



No comments:

Post a Comment